ગરબાડા તાલુકામાં ગુરૂ પુર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
160

 

 

ગુરૂ પુર્ણિમાની ઉજવણી નિમિતે ગરબાડા ખાતે આવેલ શ્રી રંગ કુટીર ઉપર શ્રી રંગ અવધૂત પરિવાર ગરબાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂ પુર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણપતિ મંદિરેથી સવારે પાંચ કલાકે પ્રભાત ફેરી કાઢવામાં હતી ત્યાર બાદ રંગ કુટીર ઉપર સવારે ૦૯:૦૦ કલાકે પાદુકા પૂજન, સવારે ૧૧:૦૦ કલાકે દત્ત ધૂન, ભજન, દત્ત બાવની અને રંગ અડતલીસાના સમૂહમાં પાઠ તેમજ આરતી ત્યાર બાદ મહાપ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનો ઉત્સાહભેર લ્હાવો લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here