ગરબાડા પંથકમાં ગણેશોત્સવની ચાલતી તડામાર તૈયારીઓ

0
399

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)PRIYANK CHAUHAN GARBADA 

 

        ભગવાન શિવની આરાધનાનો શ્રાવણ માસ પૂરો થતાં ભગવાન શિવના પુત્ર એવા ગણપતિ દાદાના આગમનની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

        ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ગરબાડા પંથકમાં ગણેશમય વાતાવરણ સર્જાતું જાય છે અને ગરબાડા નગરની મધ્યે આવેલ ગણપતિ મંદિરે વિધિવત ગણપતિ દાદાની મુર્તિ (પ્રતિમા) નું સ્થાપન તેમજ ગરબાડા નગરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિદાદાની મુર્તિ (પ્રતિમા) સ્થાપના કરવા માટે ઠેર ઠેર પંડાલો ઊભા કરવાની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

        ગરબાડા પંથકમાં ઘણે ઠેકાણે સુંદર ઝાંખીઓ પણ બનાવવામાં આવશે અને તેને જોવા ભીડ પણ જામશે અને દશ દિવસના આતિથ્ય માણ્યા બાદ અનંત ચૌદશના દિવસે શ્રીજીની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવશે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here