દાહોદના સંજેલી તાલુકાના ઝુંસા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું

0
87
સમગ્ર દેશમાં કોરીનાની મહામારી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ઝુંસા ગામે સેનેટાઇઝર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સંજેલી તાલુકામાં તા.૨૦/૦૪/૨૦૨૦નેે સોમવારના રોજ સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે દરેક ગ્રામ પંચાયતની 5000 લિટર સેનેટાઈઝર દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે તેના ભાગ રૂપે ઝુંસા ગામના સરપંચ દ્વારા તા.૨૩/૦૪/૨૦૨૦ ને ગુરુવારના રોજ કોરોના વાઇરસની મહામારી ને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયત, ઝૂંસામા મળેલ સેનેટાઇઝર દવાને પંપ દ્વારા ફળીએ ફળીએ જઈને મકાનો તથા તેની આસપાસની ખુલ્લી જગ્યાઓને સેનેટાઈઝ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here