દાહોદ ગૌરક્ષક દળની ટીમ દ્વારા નવરાત્રીના પાવન ત્યૌહારના આઠમના દિને ૧૨ ગૌ વંશને કતલ થતી બચાવી

0
61

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં નવરાત્રીના પાવન ત્યૌહારમાં આજે તા.૦૬/૧૦/૨૦૧૯ ને રવિવારને આઠમના દિને ગૌરક્ષક દળની ટીમને બાતમી મળેલ કે દાહોડની ગરબાડા ચોકડી પાસે ગૌવંશને ચાલતા દાહોદના કસ્બામાં કતલ માટે લઈ જવાઈ રહી છે. ત્યારે ગૌ રક્ષકો અને દાહોદ ટાઉન પોલીસે મળીને દાહોદ – ગરબાડા ચોકડી પાસે ચાલતા લાઇ જવાઈ રહેલા ૧૨ ગૌ વંશને કતલ થતી બચાવી હતી.

આ ૧૨ ગૌવંશને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત રાખવામાં આવી છે. દાહોદ ટાઉન પોલીસ અને સ્ટાફના માણસોએ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું તે બદલ ગૌ રક્ષકોએ પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here