દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ગણેશ ચતુર્થીના દિને ઠેરઠેર ગણપતિ દાદાની કરવામાં આવી સ્થાપના

0
374
આપણે સહુએ ખૂબ આસ્થાભેર પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરી સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવની ઉપાસના કરી હતી. ભગવાન શિવજીની ઉપાસનાનો પવિત્ર શ્રાવણ માસ પૂરો થતાં જ હવે ભાદરવા માહિનામાં શિવ પુત્ર ગણેશની ઉપાસનાનો પર્વ આવ્યો. ભાદરવા સુદ ચોથના દિવસથી એટલે કે આજના દિવસથી શિવ પુત્ર ગણેશ ઉપાસનાના પાવન પર્વ એવા દશ દિવસના ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. દશ દિવસીય ગણેશ મહોત્સવ નિમિતે ગરબાડા તાલુકામાં ગણેશ મહોત્સવની વિવિધ આયોજકો દ્વારા છેલ્લા કેટલાક દિવસોની તડામાર તૈયારી કરવાં આવી હતી અને ગરબાડા નગરમાં તેમજ ગરબાડા તાલુકામાં વિવિધ મંડળો દ્વારા અનેક જગ્યાએ પંડાલો ઊભા કરી આકર્ષક અને સુંદર ડેકોરેશન કરી આજ રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની મુર્તિઓની શુભ મુહુર્તમાં ઠેરઠેર સ્થાપના કરવામાં આવેલ છે.
ગરબાડા નગર મધ્યે આવેલ ગણપતિ મંદિરે સોની સમાજ દ્વારા વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાની મુર્તિની વિધિવત સ્થાપન કરવામાં આવેલ છે અને ગણેશ મહોત્સવને લઈને ગરબાડા ગણપતિ મંદિરમાં વિશેષ નયનરમ્ય શણગાર કરી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિ દાદાની મુર્તિનું યજમાન દ્વારા પુજા અર્ચના આરતી કરી સ્થાપના કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here