દાહોદ જિલ્લાના ઝાલોદ પાસે આવેલ પડીમહુડી દરગાહએ દર્શન કરવા ગયેલ બે શખ્સ ને વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ

0
314

PRITESH PANCHAL –– JHALOD 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ પાસે આવેલ પડી મહુડી ગામે આજે તા.૨૧/૦૯/૨૦૨૦ ને સોમવારના રોજ દરગાહ પર દર્શન કરવા ગયેલા ઝાલોદ ગામના ૨ યુવાનો દ્વારા દરગાહના દરવાજાને સ્પર્સ કરતા જ જોરદાર વીજ કરંટનો ઝાટકો લાગ્યો હતો. જેમાં ફેંકાઈ ગયેલા એક યુવાનને માથામાં અને બીજા યુવાનને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ઝાલોદ દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ ઝાલોદ પાસે આવેલ પડીમહુડી ગામે દરગાહ આવેલ છે. જે દરગાહ ઉપર આજ રોજ ઝાલોદના હુસૈનખાન ઝહિરખાન પઠાણ તથા મઝહરખાન પઠાણનાઓ દર્શન માટે ગયા હતા. અને દરગાહના લોખંડના દરવાજાને સ્પર્શ કરતા જ આ બંને યુવાનોને વીજ કરંટનો ઝટકો લાગતાં જોશભેર ફેકાઈ ગયા હતા. જેમાં હુસેનખાન જહીરખાન પઠાણને માથાના ભાગે તથા મઝહરખાન પઠાણને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. આ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલોદ ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હુસેનખાન પઠાણને ઝાલોદ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે મઝહરખાન પઠાણને વધુ સારવાર માટે દાહોદ ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવેલ હોવાનું અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, પડીમહુડી ખાતે આવેલ દરગાહ ઉપર હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો દર્શન માટે મોટી સંખ્યામાં અવાર-નવાર આવતા રહે છે. આ દરગાહ પાસેથી ૧૧ કેવીની વીજ લાઈન પસાર થાય છે. અને જેના કારણે જ આ બંને યુવાનો ને કરંટ લાગ્યો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે ક્યારેક મોટી જાનહાનિ થવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે આ દરગાહ પાસેથી પસાર થતી વીજ લાઈનને તાત્કાલિક ખસેડી આવનાર સમયમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન જાય અને કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે તેને નિવારવા વીજ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તેવું લોકચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here