દાહોદ જિલ્લાના ફતેપુરામાં સ્વર્ગસ્થ અટલજીની સર્વ દલીય સાર્વજનિક પ્રાર્થના સભા રાખવામાં આવી

0
174

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના માર્કેટ યાર્ડમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થશ્રી અટલબિહારી બાજપાઈજીની સર્વ દલીય સાર્વજનિક પ્રાર્થના સભા રાખવામાં આવી હતી. આ પ્રાર્થના સભામાં કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પારગી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રફુલભાઈ ડામોર, ચુનીલાલ ચરપોટ, ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર અશ્વિનભાઈ પારગી તેમજ કાર્યકરો, સરપંચો, ગ્રામજનો,  શરદભાઈ, સુભાષભાઈ ,શબ્બીરભાઈ, બ્રહ્માકુમારીમાંથી પધારેલ દીદી તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્વર્ગસ્થ અટલજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી અને તેઓના કાર્યકાળ દરમિયાનની વિશિષ્ટ યાદો તાજા કરી હતી, અને આત્મશાંતિ માટેની પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here