દાહોદ જિલ્લાના ફતેપુરામાં કોરોના મહામારીને પગલે APMC માર્કેટ યાર્ડના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

0
202

દાહોદ જિલ્લાના ફતેપુરામાં કોરોના મહામારીને લઇને તથા ફતેપુરામાં કોરોના પોઝિટિવ કેસો જણાતા અને સંક્રમણ વધતા વેપારીઓએ પોતાની સલામતી અને એકબીજાથી સંક્રમણ ન વધે તેને લઈ અનાજ માર્કેટના ચેરમેન પ્રફુલભાઈ ડામોર અને વેપારીઓ દ્વારા મિટિંગ કરી તેઓની સ્વેચ્છાએ માર્કેટયાર્ડ ચાલુ કરવા અને તેમાં દુકાનો ખોલવાનો સમય સવારના ૦૮:૦૦ વાગ્યાથી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.  જે આવતી કાલથી તા.૧૬/૦૭/૨૦૨૦ અમલમાં આવશે. તે બાબતે ખેડૂતોને જાણકારી માટે રિક્ષામાં માઇક બાંધી એલાઉન્સ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના ભાગરૂપે અનિશ્ચિત સમય માટે આ સમય રહેશે. તેવું ચેરમેન પ્રફુલભાઈ દ્વારા જાણવા મળેલ છે અને તેઓએ જણાવેલ છે કોઇ પણ વેપારી નિયમનું પાલન કરશે નહિ તો તેઓને વેપારી એસોસિયેશન દ્વારા દંડ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here