દાહોદ જિલ્લાના ફતેપુરામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૫મી જન્મ જયંતી ઉજવવામાં આવી

0
65

ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિએ સરદાર સાહેબની પ્રતિમાને ફુલહારથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

આજે તા.૩૧/૧૦/૨૦૨૦ ને શનિવારના રોજ સરદાર પટેલ સાહેબની ૧૪૫મી જન્મ જયંતી નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ નવલાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ફતેપુરાના નગરના મુસ્લિમ સમુદાયના પ્રમુખ રજાકભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પંકજભાઈ પંચાલ, કપિલભાઈ નાહર, રમેશભાઈ પ્રજાપતિ ગામ પંચાયતના સભ્ય યોગેશ પ્રજાપતિ, પ્રજાપતિ તેમજ વણિક સમાજના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિ, મહેશભાઇ શાહ, વિશાલભાઈ નાહર, તાપશ શાહ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર તેમજ સુતરની આંંટી પહેરાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે સમયે ત્યાંના આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાની આગળ સ્ટિલની ગોળ રેલીંગ બનાવવા માટે ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરતા સરપંચે તે રેલિંગ બનાવવા માટે ઓર્ડર આપ્યો હતો. આમ ફતેપુરા નગરમાં આજે લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલને હૃદય થઈ શ્રધ્ધાંજલિ અર્પી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here