દાહોદ જિલ્લાના સંજેલીની મહિલાઓ દ્વારા દશામાંનું વ્રત શ્રધ્ધાભેર ઉજવામાં આવ્યું

0
122

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં આજે તા.૧૮/૦૩/૨૦૨૦ ને બુધવારે ફાગણ વદ દશમનો દિવાસ એટલે દશામાં નું વ્રત. કહેવાય છે કે ધાર્મિક પરંપરા મુજબ બહેનોએ દશામાં વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવી જોઈએ. સંજેલી પુષ્પ સાગર તળાવ પાસે આવેલ ખોડિયાર માતાના મંદિર પાસે આવેલ પીપળાના વૃક્ષ પાસે તેમજ કણબી ફળિયા આવેલ મહાદેવના મંદિરે પણ શ્રધ્ધા ભેર પૂજા વિધિ કરતી બહેનો તસ્વીરમાં જોઈ શકાય છે શીતળા સાતમ પછી ફાગણવદ દશમ નું દશામાં વ્રત  નું  મહાત્મય પણ અનેરું મહત્વ હોય છે એક દિવસ ના અપવાસ કરી બહેનો ધાર્મિક પૂજા  કરતી હોય છે સંજેલી નગરમાં આણંદ  ભેર મોટી સંખ્યા માં બહેનો પૂજા માટે ઉમટી પડી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here