સમગ્ર ભારત દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં ગ્રામ પંચાયત દ્વારા આજે તા.૦૬/૦૪/૨૦૨૦ ને સોમવારના રોજ સમી સાંજ પડતા જ઼ ફાયર ફાઈટરના લાસ્કરોની મદદથી સમગ્ર સંજેલી નગરના મુખ્ય બજાર અને નાના નાના વિસ્તારોને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. જયારે ગ્રામ પંચાયતના સરપંચ કિરણભાઈ રાવત તથા પંચાયતના સભ્યો સાથે રાખી સમગ્ર સંજેલી નગરને સેનેટાઇઝ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો
