દાહોદ જિલ્લામાં આજે કુલ 17 કોરોના પોઝીટીવ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 200

0
95
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા.૧૫/૦૮/૨૦૨૦ ને શનિવારના રોજ RTPCR ૦૫ અને રેેેપીડ ટેસ્ટના ૧૨ વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે થોડો ઘટ્યો છે. અને આજે કુલ ૧૭ કેસ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૮૬૫ પર પહોંચી ચુક્યો છે. જ્યારે ૧૧ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને ૨૦૦ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ ૪૮ વ્યક્તિઓ સાથે કુલ ૫૨ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ઘટતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી રાહત અનુભવી હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ
RTPCR માં કુલ ૦૫ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને રેપીડ ટેસ્ટ સેમ્પલ કલેક્ટ કરી રિપોર્ટ કાઢતા તેમાં ૧૨ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ RTPCR અને રેપીડના મળી કુલ ૧૭ વ્યક્તિઓ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) ધર્મેન્દ્ર હસમુખભાઈ દિવેટીયા,(૨) અલીઅકબર કુતુબુદ્દીન પીટોલવાલા, (૩) દેવકન્યાબેન પ્રકાશચંદ્ર શાહ, (૪) સલીબેન ગરવરભાઈ લબાના, (૫) અક્ષયભાઈ સવજીભાઈ ભાભોર તેમજ રેપિડ ટેસ્ટમાં : (૧) પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ શાહ, (૨) હની મુકેશ ચૌહાણ (૩) ઇન્દિરાબેન રમેશભાઈ પ્રજાપતિ, (૪) સંગીતાબેન પ્રદીપભાઈ કોડિયા, (૫) સંગીતાબેન અમૃતભાઈ ભોકાણ, (૬) કોકીલાબેન માંગીલાલ પ્રજાપતિ, (૭) ઉમંગકુમાર મનહરભાઈ ખેમસરા, (૮) સુરભી ઉમંગકુમાર ખેમસરા, (૯) અંકિત ભારમલ ખેમસેરા, (૧૦) નીલમબેન પંકજભાઈ પુરોહિત, (૧૧) પંકજભાઈ કાંતાપ્રસાદ પુરોહિત, (૧૨) પ્રફુલ્લ યોગેન્દ્ર ચૌહાણનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદ તાલુુકામાં – ૦૮, ઝાલોદ તાલુકામાં – ૦૭, સંજેલી તાલુકા માં – ૦૧ અને લીમખેડા તાલુકામાં – ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૧૭ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને હોમ ક્વોરાન્ટાઈન કરેલ કુલ ૧૯૮૮૪ લોકોના સેમ્પલ કલેક્ટ કરેલ છે. જે પૈકી કુલ ૧૮૫૨૫ લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયેલ છે. જ્યારે આજ રોજ તા.૧૫/૦૮/૨૦૨૦ ને શનિવાર ના રોજ દાહોદ જિલ્લામાં કુલ ૧૭ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા ૮૬૫ પર પહોંચી ગઈ છે અને આજ રોજ કુલ ૧૧ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સાજા થતા કુલ ૬૧૩ વ્યક્તિઓ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૦૦ ઉપર પહોંચી છે. અને જિલ્લામાં કોરોના મહામારીથી કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીના કારણે કુલ ૪૮ વ્યક્તિઓના મૃત્યુ થતા કુલ ૫૨ વ્યક્તિઓએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here