THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા. 05/08/2020 ને બુુધવારના રોજ 06 વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો થોડો ઘટવા પામ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે ગઇ કાલે 52 RTPCR તેમજ 12 રેપિડ ટેસ્ટ મળી કુલ 64 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરતા તેમાંથી 56 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 08 વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયા હતા, અને આ રેપિડ ટેસ્ટના રિપોર્ટ આવતા કુલ આંકડો 674 પર પહોંચી ચુક્યો છે. જ્યારે 28 વ્યક્તિઓ સરકારી ગાઈડલાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને 265 પર પહોચી ચુકી છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે આજે 02 લોકોની મૃત્યુ થઈ છે તે મળીને કુલ 39 વ્યક્તિઓ સાથે કુલ 43 વ્યક્તિ ઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું ઘટ્યું હતુ.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા કલેક્ટ કરેલ અને આજના રેપિડ ટેસ્ટ મળી કુલ 56 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 50 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 06 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (1) પવનકુમાર અશોકભાઈ અગ્રવાલ, ઉ.વ. 29 વર્ષ, રહે. લુહારવાડ, ઝાલોદ, જી. દાહોદ, (2) કમિનીબેન અજયભાઈ અગ્રવાલ, ઉ.વ. 28 વર્ષ, રહે. લુહારવાડ, ઝાલોદ, જી. દાહોદ, (3) મયુરભાઈ વિજયભાઈ પંચાલ, ઉ.વ. 33 વર્ષ, રહે. વિશ્વકર્મા મંદિર પાસે, ઝાલોદ, જી. દાહોદ, (4) મિલનભાઈ ધુળાલનભાઈ શ્રીમાળી, ઉ.વ. 53 વર્ષ, રહે. રામદ્વાર પાસે, ઝાલોદ, જી. દાહોદ, (5) ગીતાબેન મિલકનભાઇ શ્રીમાળી, ઉ.વ. 50 વર્ષ, રહે. રામદ્વાર પાસે, ઝાલોદ, જી. દાહોદ, (6) સૌરભભાઈ મિલનભાઈ શ્રીમાળી, ઉ.વ. 27 વર્ષ, રહે. રામદ્વાર પાસે, ઝાલોદ, જી. દાહોદ, તેમજ રેપિડ ટેસ્ટમાં : (7) પર્વત મથુર નિસરતા, ઉ.વ. 55 વર્ષ, રહે. સાંઈખુશી સોસાયટી, દાહોદ અને (8) શ્યામ પર્વત નિસરતા, ઉ.વ. 22 વર્ષ, રહે. સાંઈખુશી સોસાયટી, દાહોદનાઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ 08 જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તેમજ હોમ કોરોનટાઇન કરેલ વ્યક્તિઓ મળી કુલ 12586 લોકોના સેંપલ કલેક્ટ કર્યા હતા. જે પૈકી 11643 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને હાલ 269 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે આજ રોજ દાહોદ જિલ્લામાં 08 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 674 થઈ છે અને આજ રોજ કુલ 28 વ્યક્તિ સરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં કુુુલ 366 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 265 પર પહોચી ગઈ અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે આજ રોજ મૃત્યુના 02 કેેસ નોંધાવવાની સાથે કુલ 39 વ્યક્તિઓ મળીને કુલ 43 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.