Tuesday, February 11, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે પૌરાણિક શિવમંદિર બાવકા...

દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે પૌરાણિક શિવમંદિર બાવકા ખાતે

દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ ઉજવણી નિમિત્તે ૩૫૦૦ જેટલા વિવિધ વૃક્ષોની વાવેતર કરીને બાવકા ખાતે નંદનવનના નિર્માણનો શુભારંભ કરાશે.

જિલ્લા કક્ષાના વનમહોત્સવના ઉદ્દધાટક તરીકે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ અને સર્વે ધારાસભ્ય પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેવડીયા જંગલ સફારીના નિયામક રામ રતન નાલાની પણ આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક આર.એમ. પરમાર દ્વારા શિવમંદિર, બાવકા ખાતે વિપુલ વનશ્રી ઊભી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments