દાહોદ થી ગરબાડા વચ્ચે પસાર થતાં નેશનલ હાઇવે નં.૫૬ ઉપર ઠેરઠેર ખાડા પડી જવાથી રસ્તો બિસ્માર થતાં વાહન ચાલકોને હાલાકી, રસ્તો રિકાર્પેટિંગ કરવા લોક માંગ

0
802

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank chauhan – Garbada

દાહોદ થી ગરબાડા વચ્ચે નેશનલ હાઇવે નંબર.૫૬ પસાર થાય છે. આ હાઇવે ઉપર રોજિંદા મોટી સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે. વાહનોના સતત ભારણના કારણે તેમજ ગત ચોમાસામાં થયેલ વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતાં આ હાઇવે ઉપર સાહડા ગામ પાસે વડલી નજીક રસ્તા ઉપર તથા સાહડાથી ખારવા ગામ વચ્ચે તેમજ મોટીખરજથી વરમખેડા વચ્ચેના રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલ છે જેના કારણે રસ્તો એકદમ બિસ્માર બનેલ છે અને આ ખાડા દિન પ્રતિદિન મોટા થતાં જાય છે. જેના કારણે વાહન ચાલકોને દિન પ્રતિદિન પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડે છે અને રસ્તા ઉપર ખાડા હોવાના કારણે વાહન ચાલકોને પોતાનું વાહન ન છૂટકે ફરજીયાતપણે રોંગ સાઇડ હંકારવું પડે છે જેના કારણે મોટો અકસ્માત થવાની પણ ભીતિ રહે છે.

આ હાઇવે નેશનલ હાઇવે હોવા છતાં તંત્ર દ્વારા લાંબા સમયથી આ હાઇવે ઉપરના ખાડા પૂરી રસ્તો રીકાર્પેટિંગ કરવામાં આવ્યો નથી જે ઉપરોક્ત તસવીરોમાં નજરે પડે છે. જેથી સંબંધિત તંત્ર દ્વારા આ હાઇવે પ્રત્યે દુર્લક્ષતા સેવવામાં આવતી હોય તેમ લાગે છે અથવા તંત્ર જાણે આ બાબતથી બિલકુલ અજાણ હોય તેમ લાગે છે. 

વધુમાં ધ્યાન દોરવાનું કે, ગરબાડા (નવતરિયા) ગાંગરડી બાયપાસ ક્રોસિંગ પાસે આ હાઇવે રોડની કિનારને અડીને બે થી અઢી ફૂટ જેટલા ઊંડા અને લાંબા ખાડાઓ પડેલ છે તે પણ પુરવા અત્યંત જરૂરી છે. જેથી કરીને અકસ્માત નિવારી શકાય.

તો વહેલામાં વહેલી તકે સંબંધિત તંત્ર દ્વારા દાહોદ થી ગરબાડા વચ્ચે પસાર થતાં નેશનલ હાઇવે નંબર.૫૬ ઉપર જરૂરી સ્થળોએ રસ્તો રીકાર્પેટિંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here