Tuesday, February 11, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં ચાલી રહી છે સેનિટાઇઝેશનની...

દાહોદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં ચાલી રહી છે સેનિટાઇઝેશનની કામગીરી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ નગર પાલિકા દ્વારા રોજે રોજ આખે આખા વિસ્તારોમાં સધન સેનિટાઇઝેશન

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગર પાલિકા ચીફ ઓફિસર એ.કેે. સિંહાના માર્ગદર્શન હેઠળ દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના ૦૬:૦૦ વાગ્યા થી રાતના ૧૦;૦૦ વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે.

દાહોદ નગરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં વ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. તે આખે આખા વિસ્તારમાં રોજે રોજ સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે તા.૨૯/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ નગરપાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને કન્ટેઈનમેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી સઘન રીતે કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments