પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ ઓનલાઇન અરજીઓ અંગે એપ્રીલ થી જુલાઇ ૨૦૧૯ સુધીના તબક્કાનો લાભ લેવા માટે ૧૫ જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે

0
185

ખેડુત પરિવારની ન્યુનતમ આવક સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અમલ માં મુકવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા આ યોજનાની શરતોમાં સુધારો કરી બે હેકટરની જમીન મર્યાદા દૂર કરવામાં આવી છે. જમીન ધારક ખેડૂતોને વાર્ષિક ₹. ૬૦૦૦/- નો લાભ ત્રણ સમાન હપ્તામાં મળવા પાત્ર છે. જેમાં એક ખાતા એટલે કે ૮-અ માં એકથી વધુ ખેડૂત કુટુંબ આવતા હશે તો પણ દરેક કુટુંબ દીઠ ₹. ૬૦૦૦/- મળવાપાત્ર થશે. આ યોજનાનો વ્યાપ વધારી વધુમાં વધુ ખેડૂત પરિવારોને લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ખેડૂત પરિવારોઓએ અગાઉ અરજી કરેલ ન હોય તેમણે આ યોજના હેઠળ જોડાઇ એપ્રીલ થી જુલાઇ ૨૦૧૯ સુધીના તબક્કાનો લાભ લેવા માટે ૧૫ જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે કરવાની રહેશે. અરજી માટે ખેડૂતે અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધાર કાર્ડ, એકરારનામું તેમજ બેંન્ક પાસબુકની ઝેરોક્ષ નકલ આપવાની રહેશે. બેન્ક ખાતામાં આધારકાર્ડ લીંક હોવું ફરજીયાત છે.

વધુમાં વધુ ખેડૂતો ઓનલાઇન અરજી કરાવી સહાયનો લાભ મેળવી શકે છે. તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાહોદ એ એક અખબારી યાદી દ્વારા ઉપરોકત બાબત જણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here