વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા વેપારીઓ તથા જાગૃત નાગરિકો પ્રબળ માંગ સાથે રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

0
129

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સમા એક સમયના ‘વાયા વિરમગામ’ને નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે. ઐતિહાસિક શહેરે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં વિરમગામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના ૬૫ વર્ષો બાદ પણ શહેરની પ્રજાને અનેક નેતાઓના ઠાલાં વચનો સિવાય કાંઈ જ મળ્યું નથી. અનેક ધારાસભ્યો અને સાંસદો અહીં આવ્યા અને ચાલ્યા પણ ગયા, પરંતુ વિરમગામ શહેરનો કાંઈ જ વિકાસ દેખાઈ રહ્યો નથી. વર્ષો બાદ પણ ગામ જૈસે થે તૈસે થેની પરિસ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે અને શહેર દિવસેને દિવસે વિકાસ વગર પછડાટ ખાઈ રહ્યું છે.
વિરમગામ ઐતિહાસિકતા ધરાવવા સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની મધ્યમાં આવતું શહેર છે. વિરમગામ રેલ્વે સ્ટેશન એક મહત્વનું જંકશન છે. છેલ્લા 20 વર્ષથી વિરમગામને જિલ્લો જાહેર કરવા અનેક રાજકીય પક્ષો, મહાનુભાવો, ધારા સભ્યો-સંસદ સભ્યો, અને રાજ્ય સરકારો આશ્વાસન આપતા રહે છે કે ટૂંક સમયમાં વિરમગામને જિલ્લો જાહેર કરવામાં આવશે.
આવા ઠાલા વચનોથી ભોળવાઈ જતી વિરમગામ પંથકની જનતામાં હવે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. વિરમગામને જિલ્લો જાહેર કરો અને ગતિશીલ ગુજરાત સાથે ગતિશીલ વિરમગામ પણ બનાવો જેના માટે વિરમગામ શહેર તથા પંથકના નાગરિકો દ્વારા વિરમગામ શહેર અને પંથકમાં વિરમગામ જિલ્લા આયોજન સમિતિ રચી લોક જાગૃતિની ચળવળ શરૂ કરવામાં આવી છે. આજરોજ વિરમગામ જીલ્લા આયોજન સમિતિ દ્વારા વિરમગામને જિલ્લાનો દરજ્જાની પ્રબળ માંગ સાથે શહેરના મુનસર રોડથી તાલુકા સેવા સદન સુઘી બેનરો સાથે વિશાળ યોજી મુખ્યમંત્રીને અનુલક્ષીને નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઐતિહાસિક શહેર સ્વતંત્રતા અને સત્યાગ્રહમા ખૂબજ મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ વિકાસની સાથે જિલ્લાની વંચિત રાખી હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે.
ભૌગોલિક રીતે વિરમગામ શહેર ગુજરાતનું હાર્દ સમાન છે. જ્યાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત એમ બીલકુલ મઘ્યમાં અને અવરજવર માટે ખૂબજ સરળ રહે છે. વિરમગામની આજુબાજુમાં માંડલ, દેત્રોજ, રામપુરા, પાટડી, દશાડા અને નળકાંઠાના 50 જેટલાં ગામડાઓની વચ્ચે વિરમગામ જિલ્લો બનાવવા માટે અનુકુળ છે.
હાલમા પ્રાંત કચેરી કાર્યરત છે. જ્યાં બીજી જિલ્લાની સામ્યતા ઘરાવતુ કાર્યાલય પણ સમાવેશ થાય તેમ છે. ઉલ્લેખનીય છે કે આ આવેદનના તમામ મુદ્દાઓનો મુખ્ય હેતું વિરમગામને જિલ્લાનો દરજ્જો આપવા માટેનો છે. આની સાથે વિરમગામ નજીકના ગ્રામ્ય વિસ્તારોના સરપંચોની લેખીત પણ જિલ્લાની માંગણી સાથે રજુઆત કરી છે. વઘુમાં છેલ્લે આવેદનપત્રમાં જણાવ્યું છે કે વિરમગામ તાલુકાને જિલ્લાનો દરજ્જો આપવા માટે દિન 15માં રાજ્ય સરકાર દ્વારા કોઇ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો વિરમગામ, માંડલ, દેત્રોજ, પાટડી, રેલી, ઉપવાસ, ઘરણા સહિતના કાર્યક્રમો તેમજ ગામને સ્વયંભૂ બંઘ પાળી શાંતીપૂર્ણ વિરોઘ નોઘાવવામા આવશે.
આ રેલીમાં વિરમગામ જિલ્લા આયોજન સહિતમાં ચંદુસિંહ દરબાર, ગૌરવ વી. શાહ, આશિષ જે. ગુપ્તા, રણછોડ પી. જાદવ, જયપ્રકાશ પી. મચ્છર, વિજયસિંહ ચાવડા સહિત વિરમગામ વેપારી મંડળો, વિવિધ સંસ્થાઓ, ગામના વરિષ્ઠ નાગરિકો, ગ્રામ્ય સરપંચો, કાઉન્સિલરો, ડોક્ટરો, વકીલો વિશાળ સંખ્યામાં જોડાયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here