વિરમગામ તાલુકામાં મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ

0
200

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM 

– માતાઓ અને બાળકોને અપાતી રસીની કામગીરીનું તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા નીરીક્ષણ કરાયું.

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શૂન્યથી બે વર્ષના બાળકો રોગ પ્રતિકારક રસીઓથી વંચિત હોય તેવા તમામ બાળકોને અને સગર્ભા માતાઓને રસીઓથી રક્ષિત કરવાનો કાર્યક્રમ મિશન ઇન્દ્ર ધનુષના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માતાઓ અને બાળકોને અપાતી રસીની કામગીરીનું તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા નીરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.

મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકોનું સંપુર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાનું અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છે. વિરમગામ તાલુકાના તમામ ગામના દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારોમાં આવેલા ઇંટવાડાના ભઠૃાઓ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, કન્સ્ટ્રકશન સાઇટો, છુટા છવાયા વાડી વિસ્તારમાં રસીકરણ સેશન યોજીને શૂન્યથી બે વર્ષ સુધીના બાળકોને રસીઓથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. બાળકો ઉપરાંત સગર્ભા માતાઓને પણ રસીઓ આપવામાં આવે છે. મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ રસીકરણ કામગીરીનું વિરમગામના તાલુકા હેલ્થ ઓફીસર ડો. વિરલ વાઘેલા, તાલુકા ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ગૌરીબેન મકવાણા, તાલુકા આઇ.ઇ.સી. ઓફિસર એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણાએ મુલાકાત લીધી હતી અને સગર્ભા માતાઓ અને બાળકોને અપાતી રસીની કામગીરીનું નીરીક્ષણ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here