વિરમગામ મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી બંઘ રહેતાં નાગરીકોને પડતી મૂશ્કેલીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

0
292

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR -VIRAMGAM

વિરમગામ શહેરમાં તાલુકા સેવાસદન કચેરીઓ ખાતે જીસ્વાન ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતા રોજબરોજ  પોતાના કામ અર્થે આવવા ખેડૂતો-અરજદારો ઘરમ ઘક્કા ખાઇ પાછા ફરવું પડે છે. વિરમગામ શહેરમાં તાલુકાના 67 ગામો સાથે જોડાયેલો અમદાવાદ જિલ્લાનો સૌથી મોટો  તાલુકો વિરમગામ છે. વિરમગામ મામલતદાર કચેરીમાં ઇ-ધરા વિભાગના તેમજ  ૭/૧૨ અને ૮ (અ)ના ઉતારાની નકલ, વારસાઇ, આઘારકાર્ડ, સ્માર્ટકાર્ડ, દસ્તાવેજો સહિત પ્રજાલક્ષી કાર્યો તથા અન્ય કામગીરી માટે ખેડૂતો તથા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સંદર્ભે મળતી માહિતી અનુસાર વિરમગામ તાલુકામાં આવેલાં 67 ગામડાંઓની પ્રજા દસ્તાવેજી, વારસાઇ અને ૭/૧૨ અને ૮(અ)ના ઉતારાની નકલ માટે તથા અન્ય કામકાજ માટે વિરમગામ મામલતદાર કચેરીમા છેલ્લા ઘણા દિવસથી વારંવાર ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતા કોમ્પ્યુટર લગતી દરેક  કામગીરી ઠપ થતા આ સમસ્યા સર્જાઇ છે. ૭/૧૨ અને ૮(અ) નકલ તથા વારસાઇનું કામ થતું નથી. ખેડૂતો તથા અરજદારોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ હાલમા નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથેજ વિઘાર્થીઓના ક્રિમિનલ, આવક, જાતીના દાખલા કઢાવવા માટે રોજ લાંબી કતારમા ઉભા રહે છે. પરંતું વારંવાર ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતા વિઘાર્થીઓ તેમજ અન્ય અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે..
ત્યારે આજરોજ વિરામગામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી તરફથી પડતી મૂશ્કેલીને લઇને નાયબ કલેકટર પ્રશસ્તિ પારીકને રજુઆત કરી હતી. અને આ બાબતે લેખીત આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વિરમગામ તાલુકાના નાગરીકોને રેશનકાર્ડ માટે લઇને કામ માટે  આવતાં નાગરિકોના મામલતદાર કચેરીમાં કોઇ કામ થતાં નથી. કર્મચારીઓ દ્વારા ઇન્ટરનેટ કનેક્ટીવીટી બંઘ હોય તેમ જણાવી પાછાં કાઢે છે. તેમજ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટી વિરમગામ વિઘાનસભાના સંગઠન સચિવ રાજેશ કારેલીયા સહિત આપ ના કાર્યકરોએ વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here