PIYISH GAJJAR – VIRAMGAM
વિરમગામ નગરપાલિકાના સેવાસેતુના કાર્યક્રમમાં પાનચકલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ને વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પાનચકલા વિસ્તારના વેપારીઓ અનેકવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નોને લઇને રજુઆત કરી હોવા છતાં આજદિન સુઘી કોઇ નક્કર પગલાં ન ભરાતાં આખરે કંટાળી ગયેલાં સ્થાનિક વેપારીઓએ રહીશો આજે નગર પાલિકા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમા ચીફઓફીસરની હાજરીમા ઉગ્ર રજુઆત કરી હતી.
બીજી બાજુ સેવાસેતુના કાર્યક્રમમાં અરજદારોને વિવિઘ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.