

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરના મીલફાટક પાસે આવેલ શંકરમુખીની ચાલી વિસ્તાર રહેતા ગોવિંદભાઈ દંતાણીના ૬ વર્ષના પુત્ર રાહુલને અઠવાડીયા પહેલા શરદી, ઉઘરશ અને તાવની પ્રાથમિક સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાંથી વઘુ સારવાર માટે અમદાવાદની નારણપુરામા આવેલ એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતો. જ્યાં વાયરલ ઇન્ફેક્સન તેમજ શંકાસ્પદ સ્વાઇન ફલૂ હોઇ ગત ૨૦ સપ્ટેમ્બર ના રોજ સારવાર દરમિયાન ૬ વર્ષના બાળક રાહુલનુ મોત નીપજ્યું હતું.