Monday, September 15, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવના મેદાનમાં ભાતીગળ લોક મેળાની પરમિશન ન આપવા મુખ્યમંત્રીને...

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવના મેદાનમાં ભાતીગળ લોક મેળાની પરમિશન ન આપવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં શ્રાવણ માસમાં યોજાતા ભાતીગળ લોકમેળાની પરમિશન ન આપવા વિરમગામ ન.પા.ના પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરે અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અઘિક્ષક, વિરમગામ, ન.પા.ચીફ ઓફિસર અને રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખીતમાં રજુઆત કરી છે. આ લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે થોડાં દિવસો પછી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં લોક મેળાનું આયોજન કરવામાં આવશે. આ લોક મેળાની છેલ્લા 3 વર્ષથી વિરમગામ મામલતદાર કચેરીનાં અઘિકારીઓએ મંજૂરી આપેલ નથી. એમ આ વર્ષે પણ આ લોક મેળાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે, કારણકે મંદિરની બાજુમાં શાળા-કોલેજ, ગાંઘી હોસ્પિટલ, ઓર્થોપેડિક હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, આજુ-બાજુમાં સોસાયટી વિસ્તાર આવેલ છે. ત્યારે આજુબાજુના વિસ્તારોનાં રહીશોને, દર્દીઓને, હોસ્પિટલ, રાહદાર-વાહનચાલકોને ખૂબ તકલીફ પડે છે તે માટે આવનાર લોકમેળાને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે તેવી પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરએ લેખીતમાં રજુઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1