PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. ત્યારે આવા સમયમાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.ત્યારે આજરોજ વિરમગામ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા રેલવે કોલોની વિસ્તારમાં અસરગ્રસ્તોને ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં યુનિયન મંડળના સંગઠન મંત્રી મિસ્બાહુલ હસનના નેતૃત્વ હેઠળ અને સંગઠનના કાર્યકરો દ્વારા 50થી વઘુ નિચાણવાળા વિસ્તાર વરસાદથી અસરગ્રસ્તોને ફૂડપેકેટ નું વિતરણ કરાયું હતું.આ વિતરણ મા સ્ટેશન પ્રબંઘક મોહમદ્દ નૌશાદ, સ્વાસ્થ્ય નિરીક્ષક મહેશ ચતુર્વેદી, લલિત ચૌહાણ, સુનીલ, સંજીવ, ગોપાલ સહિત યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા આ અભિયાન ચાલાવી રહ્યા છે.