દાહોદના શ્રી સીમંધર સ્વામી જૈન દેરાસર ખાતે મહાવિદેહ ક્ષેત્ર સહિત ભવ્ય આંગી અને રંગોળી કરી ધામધુમથી ભાવના કરવામાં આવી

0
204

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ગત એકમના દિવસે સીમંધર સ્વામી જૈન સંંઘ દ્વારા 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મકલ્યાણક ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો. ગત એકમના દિવસે દાહોદ સીમંધર સ્વામી જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ પૂર્ણમાળાશ્રીજી, કૌશલ્યદર્શીતાશ્રીજી તથા પૂર્ણ દર્શીતાશ્રીજી ની પવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામીના જન્મ ઉત્સવ નિમિત્તે સીમંધર સ્વામી જૈન દેરાસર ઈન્દોર રોડ ખાતે  સવારમાં ઉજવામાં આવ્યો હતો. જેમાં જૈન સમાજ દ્વારા 14 સુપનોની બોલી અલગ અલગ બોલાઇ હતી અને 14 સ્વપ્નો ઉતારવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ થાય છે તેમને પારણામાં ઝૂલાવવામાં આવે છે અને તમામ શ્રાવક શ્રવિકાઓએ ચોખા વધાવી, શ્રીફળ વધેરી અને પારણું ઝૂલાવ્યું હતું.

ત્યાર બાદ સીમંધર સ્વામી જૈન દેરાસર ઉપર પણ પર્વ પરિસન ના દરેકે દરેક રીતે દરરોજ સાંજે દાદાની ભક્તિ, ભાવના સવારમાં પૂજા, નાગરથ બધું જ થાય છે. અને તેના જ ભાગ રૂપે શ્રી સીમંધર સ્વામી જૈન દેરાસર, ઇન્દોર હાઇવે ખાતે ગત રોજ સીમંધર દાદાની બહુ ભવ્ય આંગી કરવામાં આવી હતી અને મહાવિદેહ ક્ષેત્ર બનાવવામાં આવી હતી. અને રંગોળી પૂરવામાં આવી હતી. અને બહુ ભક્તિભાવથી ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.

આ પ્રસંગે શ્રી સીમંધર જૈન સંઘ ના ટ્રસ્ટી મંડળના આગેવાનોમાં ભવરભાઈ ચોપડા, મહેશભાઈ ભંડારી, કનકમલ પારાવાલા, પ્રકાશભાઈ બંબ તથા અન્ય ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ તમામ કાર્યક્રમ અને આંગી થયાની માહિતી અરવિંદભાઈ ચોપડાએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here