દાહોદમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની શિબિર સુપેરે સંપન્ન : જિલ્લામાં બાળ અધિકાર ઉલ્લંઘનને લગતી ૮૭૭ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ

0
78

 THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં બાળ અધિકાર ઉલ્લંઘનને લગતી ૮૭૭ ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ

દાહોદ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમ આવી પહોંચી હતી. જેમાં આયોગની ટીમ સાથે દાહોદ જીલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આયોગ ની ટીમ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાળકોના હિતો માટે કાયદાકીય જ્ઞાનની માહિતી પણ આ ટીમ દ્વારા આપવામાં આવી હતી. ખાસ કરીને બાળ મજૂરી તેમજ બાળકોના થતા શોષણ સામે કઈ રીતની કાયદાકીય જોગવાઈઓ છે, તેના વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી.
ડો.આર.સી.આનંદ મુખ્ય અધિકારી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દિલ્લીએ તેમની સ્પીચમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લા બે સરહદે આવેલ જિલ્લો છે અને અહીંના કલેકટર આ મામલે સારા કાર્યક્રમો કર્યા છે. આમ પણ ત્રણ મુખ્ય વસ્તુઓ આ સપ્ટેમ્બર મહિનામાં છે. એક તો કેમ્પ કરવા અને સર્ટિફિકેટ વિતરણ કરવા, બીજું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ મહિનાને પોષક મહિના તરીકે ઉજવવા કહ્યું છે. જેનાથી કુપોષણ પીડિત લોકોને એક નવજીવન મળે અને સ્વાસ્થ્ય સુખાકારી જળવાય. તેમજ ત્રીજું એ કે આ સપ્તાહની આપણે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ અધિકાર સપ્તાહ તરીકે ઉજવણી કરવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here