વિરમગામના મણીપુરા ગામમાં સ્વામીનારાયણ મંદિરમાથી નરનારાયણ દેવની મૂર્તી અને ચિત્રામણ દૂર કરાતા રોષ, નરનારાયણ દેવ મંડળ – સત્સંગ સમાજ સત્યાગ્રહ અનસન પર બેસવા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

0
98
PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મણીપુરા ગામમા સ્વામીનારાયણ મંદિરમાથી નરનારાયણ દેવની મૂર્તી અને ચિત્રામણ દૂર કરતા ગામના વાંસણા સંસ્થાના હરિભક્તો દ્વારા ચલાવાતી જોહૂકમી સામે મંદિર અને ગામના ૭૦ થી વઘુ પરિવારોએ મંદિર પટંગણમા સત્યાગ્રહ પર બેસી ગયા છે. માહીતી અનુસાર વિરમગામ તાલુકાના મણીપુરા ગામમા દરેક સ્વામીનારાયણ મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તો ભક્તિ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી ૭-૮ પરિવારો વાંસવા સંસ્થાના હરિભક્તોમાથી કાંતીભાઇ જાદવજીભાઇ પટેલ ને વહીવટ આપતા તેઓ મંદિરનો હિસાબ આપતાં ન હતા. સંસ્થા પાસે ૬૦ વિઘા જમીન છે. હાલમા સ્વામીનારાયણ મંદિરમાથી નરનારાયણ દેવ ની મૂર્તી અને ચિત્રામણ દૂર કરી દેવામા આવતા ગામના ૭૦ થી વઘુ ભક્તોએ લોકો દુઃખી બન્યા છે જ્યાં મંદિરમા ૪૨ સમાજની ધૂન રાખી હોવાથી જાદવજીભાઇ ત્યાં ઘૂન ન થવા દેતા તેઓ મંદિરમા વાંસવા સંસ્થાના હરિભક્તો દ્વારા ચલાવાતી જોહૂકમી સામે મંદિરમા સત્યાગ્રહ પર બેસી ગયા છે અને હરિભક્ત જાદવજીભાઇ મંદિરમા નરનારાયણ દેવની મૂર્તી અને ચિત્રો પ્રગટ ન થાય ત્યાં સુધી આ દેહ અહીં જ રહેશે અને અનશન ચાલુ રહેશે એમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજરોજ અનસનનો ચોથા દિવસ છે. અને આજરોજ આવેદનપત્રમા જણાવ્યુ છે. ગત રોજ તેમજ આજે સમાજના આગેવાનો પોલીસ વડા સહિત અઘિકારીઓ કર્મચારીઓ દ્વારા બેઠક યોજી હતી જેમા યોગ્ય કાર્યવાહી કરી કાયમી સમસ્યાઓ નુ નિરાકરણ લાવવા માટે આજ રોજ મણીપુરા ગામમા સ્વામીનારાયણ મંદિરમાથી નરનારાયણ દેવ મંડળ તથા સતસંગ સમાજ દ્વારા વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here