Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદમાં આવતીકાલે સાણંદના નાની દેવતી ગામે આભડછેટ મુક્ત ભારત આંદોલનનુ મહાસંમેલન યોજાશે...

અમદાવાદમાં આવતીકાલે સાણંદના નાની દેવતી ગામે આભડછેટ મુક્ત ભારત આંદોલનનુ મહાસંમેલન યોજાશે : વિરમગામ આજુબાજુ ગામના 1000 થી વઘુ લોકો જોડાશે

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

આવતીકાલે સાણંદના નાની દેવતી ગામે આભડછેટ મુક્ત ભારત આંદોલનની શરૂઆત. વિરમગામ આજુબાજુ ગામના 1000 થી વઘુ લોકો જોડાશે.
2047માં દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે શું તે આભડછેટ મુક્ત હશે ? આ પ્રશ્ન સાથે આવતા 30 વર્ષ ને લક્ષ મા રાખીને આભડછેટ મુક્ત ભારત આંદોલન શરૂઆત કરવામાં આવશે આવતીકાલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે ડો. બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરની અઘ્યક્ષતામા યોજાનાર છે. આ સમેલનમા 1 હજારથી વઘુ ગામડાઓમાંથી આભડછેટ મુક્તિ માટે કાર્યરત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહી ભાગ લેશે. જેમાં મુખ્યમંત્રીને સુપડામા એક આવેદન આપીને આગામી 15 ઓગસ્ટે રાજ્યનું એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર આપશે. આવતી કાલે સંમેલનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકમાથી આશરે 1000 થી વઘુ લોકો જોડાશે એમ નવસર્જન સંસ્થાના કિરીટ રાઠોડ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments