Monday, April 21, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા બાબતે ગરબાડા ગામનાં જાગૃત નાગરિક દ્વારા...

ગરબાડામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા બાબતે ગરબાડા ગામનાં જાગૃત નાગરિક દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી

PRIYANK CHAUHAN – GARBADA

આજરોજ તા.૨૭/૦૯/૨૦૧૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી ગરબાડા ખાતે પ્રયોજના વહીવટદાર અધિકારીનાં અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
ગરબાડામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા બાબતે ગરબાડા ગામનાં જાગૃત નાગરિક જયેશભાઈ જોશી દ્વારા તેમની અરજીના અનુસંધાને મામલતદાર સાહેબ તેમજ પ્રયોજના વહીવટદાર અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગરબાડા મામલતદાર સાહેબે આ રજૂઆતને ધ્યાનમાં લઈ તેની ગંભીરતાથી નોંધ લીધી હતી.
આજના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અન્ય અરજદારોએ પણ તેમની અરજીના અનુસંધાને મામલતદાર સાહેબ તેમજ પ્રયોજના વહીવટદાર અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments