ગુજરાત રાજયના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે ૧૯૧૬ ટોલ ફી નંબર કાર્યરત છે. આ ટોલ ફી નંબર ઉપર પીવાના પાણી અંગેની ફરીયાદો નોંધવાની વ્યવસ્થા ૨૪ કલાક કાર્યરત છે. જાહેર જનતાને આથી અપીલ કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીને લગત ફરીયાદો જેવી કે, હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યકિતગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરીયાદ નોંધાવી શકે છે. જાહેર જનતાને એેવી પણ વિનંતી કરવામાં આવે છે કે, ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઇ વિસ્તારમાં પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરીયાદ નોંધાવી શકે છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઇન ફરીયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. જેમાં કોઇ પણ વ્યકિત ws.gujarat.gov.in વેબસાઇટના new complaint સેકશન મારફતે નવીન ફરીયાદ નોંધાવી શકે છે. જો કોઇ કિસ્સામાં ટોલ ફી નંબર ૧૯૧૬ વ્યસ્ત જણાય તેવા કિસ્સામાં અન્ય નંબર ૧૮૦૦ ૨૩૩ ૩૯૪૪ ઉપર પણ ફરીયાદ નોંધાવી શકાશે.
ગ્રામીણ વિસ્તારના લોકો પીવાના પાણીની ફરીયાદ ટોલ – ફ્રી હેલ્પલાઇન નંબર – ૧૯૧૬ ઉપર નોંધવી શકશે
RELATED ARTICLES