Thursday, March 13, 2025
Google search engine
HomeDahod - દાહોદજિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને નેશનલ આયુષ મિશન અંતર્ગત ગવર્નિંગ કાઉન્સિલની...

જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને નેશનલ આયુષ મિશન અંતર્ગત ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ યોજાઈ

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ નેશનલ આયુષ મિશન અંતર્ગત આયુષ સોસાયટી દાહોદની ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગ દરમ્યાન નેશનલ આયુષ મિશન અનર્ગત વર્ષ ૨૦૨૪- ૨૫ દરમ્યાન કરવામાં આવેલ તેમજ કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. એ સાથે દાહોદ જિલ્લામાં આયુષ મેળાઓ અને આયુષ કેન્દ્રો વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી. તેમજ પીપીટી દ્વારા સંલગ્ન અન્ય મહત્વની બાબતો રજૂ કરવા સહિત ચર્ચા કરવામાં આવી હતી.

આ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, ડિસ્ટ્રિક્ટ મિશન ડાયરેક્ટર અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત સહિત અન્ય સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments