THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

આજે તા.૦૪/૦૮/૨૦૧૯ ને રવિવારના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદથી આશરે 8 કી.મી. દૂર આવેલ કેદારનાથ ધામ ચોસાલા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાહોદ જિલ્લા ધર્મ જાગરણ વિભાગ દ્વારા સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ જેટલા સંતો અને ભગતો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સંસ્કૃતિ પરંપરા અને હિન્દુ બહેન દીકરીઓની રક્ષા કાજે સમાજમાં જાગૃતિ લાવવા માટે સંકલ્પ કર્યો હતો અને ઈસાઈ મિશનરીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં થતી વટાળ પ્રવૃત્તિઓ સામે મક્કમતાપૂર્વક લડી લઇ સમાજના રક્ષણ માટે કટિબદ્ધતા બતાવી હતી.


