દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના તા.૨૭/૧૧/૨૦૧૮ ના રાત્રિના અંદાજે ૦૨:૦૦ કલાકે સુચના મળેલ કે ગરબાડા ચોકડી પાસે આવેલ ઈદગાહની પાછળ થી ગાયોને તથા ગૌવંશને ચાલતા ચાલતા કતલખાને લઇ જનાર છે. ત્યારે જ ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓ એ રાત્રિના અંધારામાં ઘણી મહેનત કરીને ૦૮ ગૌવંશને કતલખાને લઈ જતા બચાવી હતી અને આ બધી ગૌવંશને દાહોદની અનાજ મહાજનની ગૌશાળામાં સુરક્ષિત મૂકી આવ્યા હતા.
દાહોદ ટાઉન પોલીસ અને દાહોદ રુરલ પોલીસના સહયોગ થી ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓએ આ ગૌવંશને બચાવી હતી.