દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના આદેશ અનુસાર ચાર દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. જેમાં આ હોલસેલરો આવશ્યક ચીજવસ્તુઓની સાથે સાથે વિમલ, બીડી, ગુટકાઓનું વધુ ભાવેે વેચાણ કરતા હોઈ આ બાબતની ફરિયાદ જિલ્લા કલેક્ટરને મળતા તેની તપાસ કરતા દાહોદ જિલ્લા કલેક્ટરના નિયમોનું તેેેઓ પાલન ન કરતા કલેક્ટર વિજય ખરાડીએ કાર્યવાહીના ભાગરૂપે આ તમામ વેેેપારીઓની દુકાનો સીલ કરવા ફતેપુરા મામલતદારને ઓર્ડર કરેલ હતો. જે અનુસંધાને તાલુકા મામલતદાર, પુરવઠા મામલતદાર તેમજ સ્ટાફ દ્વારા ફતેપુરા મેન બજારમાં આવેલ આ ચારેય દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. જેમની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે તેઓના નામ : (૧) શંકર કિશોરીલાલ અગ્રવાલ, (૨) સતીશ સોહન અગ્રવાલ, (૩) સુરેશ કિશોરી અગ્રવાલ અને (૪) સુનિલ મહાવીર અગ્રવાલની દુકાનોને સીલ મારવવામાં આવેલ હતુ અને તે દુકાનો પર જિલ્લા કલેકટરના હુકમ થી આ દુકાનોનેે શીલ કરવામાં આવેલ છે તેવા પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. આ હુકામનમાંના ભંગ બદલ આવતી કાલ તા.૧૨/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ આ તમામ દુકાનદારોને દાહોદ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર રહેવા ઓર્ડર ફરમાવવામાં આવેલ છે.
દાહોદ જિલ્લા કલેક્ટરના હુકમથી ફતેપુરામાં કરિયાણાના ચાર હોલસેલ વેપારીઓની દુકાનોને સીલ મારવામાં આવ્યું
RELATED ARTICLES