Saturday, February 1, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા...

દાહોદ જિલ્લામાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા કોરોના વોરોયર્સ તરીકે દાહોદ ટાઉન P. I. વસંત પટેલ, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓના સન્માન કરાયા

THIS NEWS IS SPONSORED BY-– RAHUL HONDA 

  • જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજયમંત્રી બચુભાઇ ખાબડે સવારે ૯ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી.
  • જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સનું મંચ પર સન્માન કરાયું.
  • માહિતી કચેરીના સોશિયલ મિડિયા પર જીવંત પ્રસારણ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા.
  • દરેક નાગરિક S-M-S -સૂત્ર એટલે કે સોશિયલ ડિસ્ટશન્સ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગના સૂત્રનું પાલન કરે – રાજયમંત્રી બચુભાઇ ખાબડ
  • જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ

દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની આ ઉજવણી પ્રસંગે રાજયમંત્રી બચુભાઇ ખાબડે સવારે ૦૯:૦૦ વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ઉપસ્થિત તમામ નાગરિકોએ રાષ્ટ્રગાનની ધૂન ઉપર રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટીય પર્વના આ પાવન પ્રસંગે જિલ્લાના ૩૦ થી પણ વધુ કોરોના વોરિયર્સ સહિત પ્રસંનીય કામગીરી કરનારા કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનાં માહિતી કચેરીના સોશિયલ મિડિયા પર જીવંત પ્રસારણ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજયમંત્રી બચુભાઇ ખાબડે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, સ્વાતંત્રતા કાજે લડનારા નામી અનામી તમામ સ્વાતંત્ર વીરોને આ અવસરે વંદન કરૂ છું. આજના કોરોના મહામારીના સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની યોગ્ય દિશાદર્શન સાથે આખી દુનિયાની પ્રેરક એવી આગેવાની કરી છે. લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય અને કટોકટીના સમયમાં પણ યોગ્ય નિર્ણયો લઇને દેશને સતત પ્રગતિને માર્ગે ધપાવ્યો છે. આત્મનિર્ભર ભારત માટે રૂ.૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરીને દેશને ફરીથી વિકાસની દિશામાં આગેકુચ આરંભી છે. ૫૦૦ વર્ષથી ચાલતા આવતા રામજન્મભૂમિ વિવાદનો ઉકેલ અને દેશમાં કલમ ૩૭૦ની કલમ નાબુદ કરીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે.

THIS NEWS IS POWERED BY –– PHONE WALE

તેમણે જણાવ્યું કે, વિકાસની બાબતમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગ, સેવા કે કૃષિ ક્ષેત્રે ગુજરાત વિશ્વભર માં ડંકો વગાડી રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાતે પાછી પાની કરી નથી અને આપત્તિને અવસરમાં ફેરવી દેવાની ગુજરાતની પ્રજાની ઓળખ બરકરાર રહી છે. રાજયના મુખ્યમંત્રીએ પણ આ સમયે અસરકારક જનહિતલક્ષી નિર્ણયો લઇ કોરોનાને હરાવવા મક્કમ પગલાં લીધા છે. ચાર મહાનગરો માં ૨૨૦૦ બેડની ક્ષમતાની કોવીડ હોસ્પીટલો, સાથે દરેક જિલ્લામાં ૧૦૦ બેડની ક્ષમતાની કોવીડ હોસ્પીટલો તાબડતોબ કાર્યરત કરવામાં આવી છે. ૫૦ હજારથી પણ વધુ પથારીની ક્ષમતાની ખાસ કોવીડ હોસ્પીટલો, કોવીડ કેર સેન્ટર, કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરાયા છે. આખા રાજયમાં ૧૧૦૦ જેટલા ધન્વંતરિ રથની કામગીરી વિશ્વભરમાં અનુકરણીય અને પ્રશંસનીય બની છે.

તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના આ સમયમાં આપણે સૌ પણ જિલ્લામાંથી કોરોનાને નાબુદ કરવા માટે સંકલ્પબદ્ધ બનીએ. આ માટે દરેક નાગરિક S-M-S એટલે કે સોશિયલ ડિસ્ટશન્સ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગના સૂત્રનું પાલન કરે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે દિન રાત અથગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે સૌ પણ જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અદા કરીએ.
તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લાએ કોરોનાના સંકટ સમયમાં આવી પડેલી તમામ પડકારોનો બખૂબી સામનો કર્યો છે. છેલ્લા ચાર માસમાં જિલ્લાના બે લાખથી પણ વધુ પરીવારોને નિ:શુલ્ક રાશન પહોંચતું કરાયું છે. લોકડાઉનમાં ફસાયેલા ચાર હજાર જેટલા શ્રમિકોને તમામ સુવિધાઓ સાથે વતન પહોંચતા કરાયા હતા. જિલ્લાના ૫૫ ધન્વંતરિ રથો નાગરિકોની આરોગ્યસેવા કરી રહ્યાં છે. કોરોના સંક્રમણને દૂર કરવા માટે જિલ્લા તંત્ર દિવસરાત એક કરી રહ્યું છે. રાજયમંત્રી બચુભાઈ ખાબડે જિલ્લાના વિવિધ વિકાસકાર્યો વિશે પણ નાગરિકોને માહિતી આપી હતી. તેમણે સૌ નાગરિકોને આ કપરા સમયમાં તંત્રને સંપૂર્ણ સહકાર આપવા માટે જણાવ્યું હતું.

સ્વાતંત્ર પર્વના અવસરે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જિલ્લાના ૩૦ થી પણ વધુ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ ટાઉન પી.આઇ. વસંત પટેલનું કોરોના મહામારી માં ખૂબ સરાહનીય કામગીરી કરવા બદલ રાજ્યમંત્રી દ્વારા સન્માન કરવાંમાં આવ્યું હતું. તથા બીજા અનેક પોલીસ કર્મી ઓનું પણ સમ્માન કરવાં આવ્યુ હતુ. સાથે સાથે નગરપાલિકા ના ચીફ ઓફિસર એ.એચ. સિન્હાની ગાઈડલાઈન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કોરોના મહામારીમાં દાહોદ શહેરમાં સફાઈ, લાઈટ, તથા સંપૂર્ણ શહેરમાં સેનેટાઈઝર કરાવવાની કામગિરી બદલ તેઓનું તથા ફૂડ ઇન્સ્પેક્ટર પિંકલ નગરલવાળાનું પણ કોરોનામાં વિવિધ સરાહનીય કામગીરી કરવા બદલ તથા અન્ય કર્મચારીઓનું સમ્માન કરી તેઓની કામગિરીને બિરદાવી સમ્માન પત્ર આપી બિરદાવ્યા હતા સાથે સાથે કોરોના બિમારીમાંથી સારવાર લઇ સ્વસ્થ થનારા નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લાના ઉત્તમ પ્રદર્શન કરનારા રમતવીરો, જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, ઉત્તમ કામગીરી કરનારા વિવિધ ખાતાઓના કર્મયોગીઓનું મંચ ઉપર પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રી તથા મહાનુભાવો, અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રાજયમંત્રી બચુભાઇ ખાબડના સંબોધન બાદ રિર્ઝવ પોલીસ સબ ઇન્સપેક્ટર ઓ.એચ. ભાભોરે સ્વાતંત્ર દિનની ઉજવણી સંપન્ન થઇ હોય પોલીસ પ્લાટુનને વિસર્જીત કરવા માટે પરવાનગી માંગતા તેમણે અનુમતી આપી હતી. આ સમયે મંચ ઉપર રાજયમંત્રીની સાથે કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પારગી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, સહિતના અધિકારીઓ, કર્મચારીઓ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય પર્વની ગૌરવભેર ઉજવણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments