THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા.૧૬/૦૮/૨૦૨૦ ને રવીવારના રોજ પાછલા ૨૪ કલાક દરમીયાન RTPCR ૨૩૧ વ્યક્તિ ઓના સેમ્પલ અને રેપીડ ટેસ્ટના ૧૨૩ સેમ્પલ એકત્રીત કરવામાં આવ્યાં. જેનો આજે રિપોર્ટ આવતા RTPCR માં ૧૮ અને રેેેપીડ ટેસ્ટના ૦૪ વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો આજે યથાવત રહ્યા હતા. આજે કુલ ૨૨ કેસ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો ૮૮૭ પર પહોંચી ચુક્યો છે. જ્યારે આજે ૧૨ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઈન મુજબ સાજા થઈ જતાતેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુુુલ ૬૨૫ લોકોએ કોરોના મહામારને મહાત કરીને પોતાના ઘરે ગયેલ છે. અને એક્ટીવ કેસોની સંખ્યા ૨૧૦ થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે કુલ ૪૮ વ્યક્તિઓ સાથે કુલ ૫૨ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું વધતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી ગભરાહટ અનુભવી હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ RTPCR માં કુલ ૧૮ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે અને રેપીડ ટેસ્ટ સેમ્પલ કલેક્ટ કરી રિપોર્ટ કાઢતા તેમાં ૦૪ વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે કુલ RTPCR અને રેપીડના મળી કુલ ૨૨ વ્યક્તિઓ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (૧) રિતિકા ડામોર, (૨) લતાબેન ડામોર, (૩) હોઝેફા અબ્બાસભાઈ ઝીનીયા, (૪) મોહમ્મદી શબ્બીરભાઈ નાયાવાલા, (૫) ગૌરીબેન શ્યામભાઈ સાંસી, (૬) શારદાબેન સુજાનભાઈ બામણ, (૭) ચીમનભાઈ મગનભાઈ ભુરિયા, (૮) રેખાબેેન નટવરસિંહ વળવાઈ, (૯) સંગીતાબેન પ્રકાશભાઈ ખાંટ, (૧૦) નીરવકુમાર જશવંતલાલ મોદી, (૧૧) આકૃતિબેન અનુપકુમાર શાહ, (૧૨) ચાંદની દેવાનંદ ગોજરાજ, (૧૩) પ્રકાશ પરસોત્તમ ચાંદાના, (૧૪) મસુભાઈ લલ્લુભાઇ ડામોર, (૧૫) હર્ષભાઈ સુનિલભાઈ પરમાર, (૧૬) મુકેશભાઈ વિરસિંગ ચૌહાણ, (૧૭) સમીનાબેન બુરહાનભાઈ ડુંગરાવાલા અને (૧૮) સારિકાબેન રાકેશભાઈ ભુરિયા તેમજ રેપિડ ટેસ્ટમાં : (૧૯) ડો. વિરલ ડામોર, (૨૦) ગટુંબેન દેવચંદભાઈ ગુજરાતી, (૨૧) ભુપેન્દ્ર પ્રસાદ દીક્ષિત, (૨૨) હસમુખ પી. પંચાલનાઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા. જોકે આજ રોજ કોરોના સંક્રમિત થયેલા કેસોમાં દાહોદ તાલુુકામાં – ૧૨, ઝાલોદ તાલુકામાં – ૦૫, ધાનપુર તાલુકા માં – ૦૪ અને લીમખેડા તાલુકામાં – ૦૧ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ ૨૨ જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને હોમ ક્વોરાન્ટાઈન કરેલ કુલ ૨૦૨૪૬ લોકોના સેમ્પલ કલેક્ટ કરેલ છે. જે પૈકી કુલ ૧૮૮૫૭ લોકોના રિપોર્ટ નેગેટિવ જાહેર થયેલ છે. જ્યારે આજ રોજ તા.૧૬/૦૮/૨૦૨૦ ને રવીવાર ના રોજ દાહોદ જિલ્લામાં કુલ ૨૨ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા ૮૮૭ પર પહોંચી ગઈ છે અને આજ રોજ કુલ ૧૨ વ્યક્તિઓ સરકારી ગાઈડ લાઇન મુજબ સાજા થતા કુલ ૬૨૫ વ્યક્તિઓ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા ૨૧૦ ઉપર પહોંચી છે. અને જિલ્લામાં કોરોના મહામારીથી કુલ ૦૪ વ્યક્તિઓ અને અન્ય બીમારીના કારણે કુલ ૪૮ વ્યક્તિઓના મૃત્યુ થતા કુલ ૫૨ વ્યક્તિઓએ કોરોના મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા છે.