KEYUR PARMAR – DAHOD
આજ રોજ “૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ” ના પાવન પ્રસંગે જ્યારે દિલ્હીના રાજઘાટ પર દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની સમાધી પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી તેવી જ રીતે દાહોદ શહેરમાં ગાંધી બાગ માં પણ ભાજપના દાહોદ જિલ્લાના પ્રભારી અમિતભાઈ ઠાકર, એસ.ટી. નિગમનાં ડિરેક્ટર સુધીરુભાઈ લાલપુરવાલા, નગર પાલિકા પ્રમુખ સંયુકતાબેન મોદી, ઉપપ્રમુખ ગુલશનભાઈ બચ્ચાણી, મંત્રી નીરજભાઈ દેસાઈ, રંજનબેન ભૈયા, સલમાબેન આંબાવાલા, કાઈદભાઈ ચુનાવાલા, તુલસીભાઈ જેઠવાણી, અરવિંદભાઈ ચોપડા, લખનભાઈ રાજગોર તથા અન્ય કાઉન્સીલર સભ્યો તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ગાંધીજીની મૂર્તિને સુતરની આટી તથા પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.