દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને દેવગઢ બારીયા તાલુકાની આરોગ્ય કચેરી ખાતે માનનીય પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા સાહેબશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સહયોગથી દેવગઢ બારિયા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં દેવગઢ બારીયાના તાલુકા કક્ષાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મચારી અને સ્ટાફ, અર્બન હેલ્થ સેન્ટર સ્ટાફ તેમજ જનસમુદાયમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરવામાં ભાગ લીધો હતો. તમામ રક્તદાતાઓએ રક્તદાન કરીને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન સવારે ૧૦:૦૦ વાગે થી ૦૪:૦૦ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૨ યુનિટ બ્લડ આયુષ બ્લડ બેન્ક સેન્ટર દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ બારીયા દ્વારા રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.