SANDIP PATEL DHANSURA
ધનસુરમાં આવેલ શાકભાજીના દુકાદાર ની દાદાગીરી ની ઘટના સામે આવી છે આ દુકાનદારે કોઇ કારણોસર મજૂરો ને માથે મુંડન કરાવી કરાવી દીધુ હતુ અને માર માર્યો હતો મજૂરોની આબરૂ ના ધજાગરા કર્યા હતા. દુકાનદાર સામે પોલીસે કાર્યવાહી કરી શરુ કરી છે આ ઘટના ની જાણ થતા જ આજુબાજુના ગામ લોકો ટોળેટોળા ધનસુરા પોલીસ સ્ટેશને ઊમટી પડ્યા હતા આ ઘટના બાદ મામલો વધુ ઊગ્ર બને અને કોઈ ઘટના બને એ અટકાવવા પોલીસે કાફલો ખડકી દેવાયો હતો ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત નો કાફલો સ્થળ પર પહોચી ગયો હતો આ ઘટના બાદ બાયડ ની વધારાની પોલીસ બોલાવામાં આવેલ હતી અરવલ્લી જિલ્લા ની આ ઘટના ના પગલે ચકચાર મચી ગઈ છે .