Monday, June 2, 2025
Google search engine
HomeAhmadabadફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક...

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વમાં કરવામાં આવેલ ગૌહત્યાના વિરોધમાં ફતેપુરા સહિત સુખસરમાં સ્વૈચ્છિક બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો

ફતેપુરાના કરોડિયા પૂર્વ ખાતે 21 મે 2025 ના રોજ કતલખાનામાં ગૌહત્યા કરી માસનો વેપલો કરતા કસાઈ વિરુદ્ધમાં બજરંગ દળના સભ્યોએ પોલીસને ફરિયાદ આપી હતી

કરોડીયાપૂર્વ ખાતે ગાયની કતલ કરી ભાગી છૂટેલા કતલખાના ચલાવતા બે ઈસમોની ફતેપુરા પોલીસે ધરપકડ કરી

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ખાતે 21 મે 2025 ના રોજ નવી વસાહત ખાતે ગાયની કતલ કરી તેના માસનો વેપલો કરવામાં આવતો હોવા બાબતે બજરંગ દળના સભ્યોએ પોલીસને બાતમી આપતા કતલખાના ચલાવનાર ઈસમો પોલીસને ચકમો આપી નાસી છુટ્યા હતા. જ્યારે મળી આવેલ માસનો જથ્થો જપ્ત કરી તપાસ સાથે નમૂના મોકલી આપવામાં આવ્યા હતા. અને નમૂનાઓની તપાસ થતા ગૌમાસ નો જથ્થો હોવાનો રિપોર્ટ આવતા કતલખાના બંધ કરાવવા 28 મે 2025 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ તથા ગૌરક્ષક દળના સભ્યોએ ફતેપુરા તાલુકામાં સ્વેચ્છિક બંધનું એલાન આપ્યું હતું. જ્યારે આજ રોજ તાલુકામાં બંધના એલાનને પગલે નાના-મોટા વેપારીઓ, ધંધાદારીઓએ બંધના એલાનને સુખસર તથા ફતેપુરામાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકાના કારોડિયાપૂર્વ ખાતે 21 મેના રોજ કતલખાનામાં ગૌહત્યા કરવામાં આવેલ હોવાની બાબત ગૌરક્ષક દળને થતા તેની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.ત્યારે કતલખાના સંચાલક પોલીસને ચકમો આપી ભાગી જવા પામેલ હતો.ત્યારે કતલખાનામાં ગૌહત્યા કરનાર આરોપીઓને ઝડપી, ફતેપુરા તાલુકામાં ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષક દળ તથા બજરંગ દળના સભ્યો દ્વારા 28 મેના રોજ સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ ફતેપુરા, બલૈયા, સુખસરમાં તમામ કોમ, ધર્મના નાના-મોટા વેપારીઓ તથા ધંધાદારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. જેના લીધે બજારોમાં જૂજ પ્રમાણમાં અવર-જવર જોવા મળતી હતી.

અહીંયા જણાવવું જરૂરી છે કે, કરોડીયાપૂર્વ નવી વસાહત ખાતે કતલખાનું ચલાવી ગૌ હત્યા કરનાર ફરાર આરોપી સલમાન અબ્દુલ હક મતાદાર રહે.કરોડીયાપૂર્વ નવી વસાહત, તા.ફતેપુરાને ગત રોજ 05:30 વાગ્યે તથા તથા ઇમરાન અબ્દુલ ગનીભાઈ ભાભોર રહે.ઘુઘસ રોડ, ફતેપુરાના ઓને આજ રોજ બપોરના 02:00 કલાકના અરસામાં ધરપકડ કરી લેવામાં આવી હોવાનું ફતેપુરા પોલીસ દ્વારા જાણવા મળે છે.

કતલખાનાઓના લાયસન્સ રદ કરી કતલખાના બંધ કરાવવા જોઈએ

ફતેપુરા તાલુકામાં અનેક કતલખાનાઓ ચાલી રહ્યા છે.અને તેમાં ઘરડા ભેંસ,બળદ પાડા વગેરેની કતલ કરી તેનું માંસ વેચાણ કરવામાં આવી રહ્યું છે.અને ક્યારેક આવા કતલખાનાઓમાં ગૌહત્યા પણ કરવામાં આવે છે.ત્યારે પશુ હત્યાને અટકાવવા કોઈ સંગઠને ઘર્ષણમાં ઉતરવાની જરૂરત પડે છે.પરંતુ જો કતલખાનાઓ બંધ કરાવવા હોય અને પશુ હત્યાઓ ઉપર રોક લાવવો હોય તો જે ગ્રામ પંચાયત દ્વારા કતલખાના ઓની પરવાનગી આપવામાં આવેલ છે તે રદ કરી દેવી જોઈએ.અને કતલખાનાનું કોઈને નવીન લાયસન્સ આપવામાં આવે નહીં તેવો નિયમ લાવવો જોઈએ.ત્યારબાદ કોઈ કતલખાના ચલાવે તો તેના સામે કાયદેસર પોલીસ કાર્યવાહી પણ કરી શકાય.પરંતુ એક બાજુ કતલખાના ઓનું લાયસન્સ આપવામાં આવે અને બીજી બાજુ જીવ હત્યા અટકાવવા કોઈ સંગઠનને વાદવિવાદમાં ઉતરવું પડે તે યોગ્ય જણાતું નથી.

ફતેપુરા માં કતલખાનાઓ બંધ કરવા છતાં કતલખાનાઓ પોલીસની બંધ આંખોની પાછળ ચાલી રહ્યા છે તો તે પણ બંધ થવા જોઈએ તેવી લોક લાગણી તેમજ ગ્રામજનોની માંગ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments