દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે પોલીસ લાઇન રોડ પર મોદીજીના જન્મ દિવસની ઉજવણીને લઇને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, રેલ્વે મંત્રાલયના પશ્ચિમ ઝોનના ડીરેક્ટર રીતેશભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રફુલ્લભાઈ ડામોર, તાલુકા પંચાયત સભ્ય રમેશભાઈ કટારા, પાર્ટી પ્રમુખ ડૉ.અશ્વિનભાઇ પારગી, યુવા મોરચાના ઉપપ્રમુખ બાબુભાઇ આમલીયાર, માજી સરપંચ કાળુંભાઇ, સુખસરના સરપંચ નરેશભાઇ કટારા, કલાવતીબેન કટારા, સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ હાજર રહી સાફ સફાઈ કામગીરી કરી મિશન સ્વચ્છ ભારત અભિયાન માં તેમજ સર્વ રોગ નિદાન કેમ્પનુ દીપ પ્રગટાવી ખુલ્લો મુકી દર્દીઓને પારલેજી બિસ્કીટનું વિતરણ કર્યું હતું.