Sunday, April 13, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડાલીમખેડા તાલુકાના દુધિયાના સંત પુનિત ભજન મંડળનો ૨૮ મો સ્થાપના દિવસ ઉજવાયો

લીમખેડા તાલુકાના દુધિયાના સંત પુનિત ભજન મંડળનો ૨૮ મો સ્થાપના દિવસ ઉજવાયો

 HIMANSHU PATEL –– DUDHIYA 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા નગરના સંત પુનિત ભજન મંડળ દ્વારા ૨૭  વર્ષ થી દર શનિવારે વિવિધ સ્થળો પર સુંદરકાંડ પાઠનું પઠન કરવામાં આવી રહ્યું છે. સંત પુનિત ભજન મંડળના પ્રમુખ વ્યાખ્યાન કાર ગિરધરભાઈ ભગત અને સુંદરકાંડ ના કન્વીનર  ડો. જશુભાઇ પટેલની આગેવાની હેઠળ ૧૦ મી ફેબ્રુઆરી ના રોજ મંડળ નો 28 મો સ્થાપના દિવસ ભવ્યતા થી ઉજવાયો હતો. જેમાં લુણાવાડાના કથાકાર મયુર બાપુ તથા જશુ ભરવાડ દ્વારા ભક્તોને ભક્તિ રસ પીરસવામાં આવ્યો હતો. પુનિત ભજન મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો દર વર્ષે ઉજવવામાં આવે છે તેવું મંડળના મંત્રી શાંતિભાઈએ મંડળ વિશે NewsTok24 ના તંત્રીને વિસ્તૃત માહિતી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments