

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં બાબા સાહેબ આંબેડકર યુવક મંડળ અને દલિત સમાજ દ્વારા તેજસ્વી વિઘાર્થીઓ સન્માન સમારોહ શહેરના બાલુભાઇ ની ચાલી આવેલા શ્રી શક્તિમાતાજીના મંદિરે યોજાયો હતો જેમા ઘો-6થી કોલેજ સુઘીના પ્રથમ 3 ક્રમાંકે આવેલા તેજસ્વી વિઘાર્થીઓ ને ચાંદીના સિક્કા તેમજ બંધારણ ના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર નો ફોટો સ્મૃતિ આપી ને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાબા સાહેબ આંબેડકર યુવક મંડળ ના નટવરભાઇ પરમાર,હરીભાઇ વી.પરમાર, દેવજીભાઇ ચાવડા,મનુભાઇ ટી. પરમાર સહિત ના સભ્યો આગાવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિઘાર્થીઓ પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.