PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં ગોયાફળીમાં આવેલાં ગુજરાતી વાણંદ સમાજના રામજી મંદિર ખાતે વાણંદ સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાયો હતો. જેમાં સમાજ અને ધર્મકાર્યમા લાખો રૂપિયાનુ દાન આપનાર વિરમગામ પંથકના ભામાષાનુ બિરૂદ મેળવનાર ચુંવાળ પંથકના રામપુરાના વતની કુંવરજી ઠાકોરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં 23 ડિસેમ્બર ઉતરપ્રદેશના વૃંદાવન ખાતે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહમા ૨૫૧ થી વઘુ યાત્રાળુઓ માટે નાસ્તો સહિત ૨ સમય ભોજન માટે એક લાખ અગિયાર હજારનો ચેક કુંવરજી ઠાકોર દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં કુંવરજી ઠાકોર અને તેમના પુત્ર વિષ્ણુજી ઠાકોરનુ શાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત વિરમગામ વાણંદ સમાજ અનેક મહાનુભાવોનું નવીનભાઇ મોકાસણા, કેશુભાઇ પનારા, જસવંતભાઈ નાઇ, દિલીપરાજા ઝીંઝુવાડીયા, કાંતીલાલ પનારા, રણછોડભાઇ વાઘરોડીયાનુ સન્માન કરવામાં આવ્યું હતું.