PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં મુખ્યમથક વિરમગામ શહેરમાં આરામગૃહ ખાતે ભારતીય પત્રકાર સંઘની મીટીંગ યોજાઇ હતી. જેમા ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશના પ્રમુખ મયુરભાઇ શેઠ, ઉપપ્રમુખ જયેશભાઇ વ્યાસ, પ્રદેશ મંત્રી પરેશભાઇ ભાવસાર, ઉપપ્રમુખ હર્ષદભાઇ રાવલ, મહેસાણા જિલ્લા ના ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ કમલેશભાઇ વ્યાસ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ દિનેશભાઇ રાવલ સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ ના પ્રિંન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા ના સ્થાનીક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ગુજરાત પ્રદેશમાંથી આવેલ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ સહીત હોદ્દેદારો નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. આ બેઠક માં ભારતીય પત્રકાર સંઘ ના પ્રદેશ પ્રમુખ મયુરભાઇ શેઠ જણાવ્યુ હતુંકે આ ભારતીય પત્રકાર સંઘ એ સમગ્ર ભારતનું પત્રકાર સંગઠન છે.જે પત્રકારો ના હિત માટે કામ કરી રહ્યું છે. જેમાં ગુજરાત અને વિવિઘ જિલ્લા-તાલુકા ના વઘુને વઘુ પત્રકારો જોડાય તે માટે આહવાન કરાયું હતું. વઘુમા બેઠકમાં પત્રકારોની સુરક્ષા માટે પણ ચર્ચા કરાઇ હતી. તેમજ આ સંગઠન ને મજબુત બનાવવા અને તેના વ્યાપ વઘારવા માટે સંઘના હિત માટે કાર્ય કરવા આહવાન કરાયું હતું ,આ મિટીંગ મા વિરમગામ,માંડલ,દેત્રોજ,સાણંદ ના પત્રકાર જગત સાથે સંકળાયેલા 20 થીવઘુ પત્રકારો આ સંઘ મા જોડાયા હતા .તેમજ વિરમગામ ,માંડલ,દેત્રોજ,સાણંદ ના સયુક્ત ભારતીય પત્રકાર સંઘ ના સંગઠન ની રચના કરાઇ હતી જેમા પ્રમુખ તરીકે પીયષભાઇ એન. ગજ્જર ની નીમણુંક કરાઇ.