સોસાયટી વિરમગામ શહેરના અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાના વિવિઘ મહોલ્લા શેરીઓમાં, સોસાયટીઓ સહિત જગ્યાઓએ નવલી નવરાત્રી “મા જગદંબા” ની આરાઘના કરવામાં આવી રહી છે. ત્યારે વિરમગામ શહેરમાં પરકોટા વિસ્તારમાં છેલ્લા ૪ વર્ષોથી યુવક મંડળ દ્વારા ભવ્ય બાળગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં રોજ ના ૫૦૦ થી વઘુ બાળકો ભાગ લે છે જેમા રોજ રાત્રી દરમિયાન બાળગરબા મહોત્સવ મા રોજ લાણી આપવામાં આવે છે.