PIYUSH GAJJAR – VIRAMGAM
ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા સંકલન સમિતિએ પરામર્શ કરી અમદાવાદ જિલ્લા ભાજપ અનુસુચિત મોર્ચાના મહામંત્રી મહેશભાઈ પરમાર અને વિરમગામ શહેર ભાજપ મંડળની આગેવાની દ્વારા વિરમગામ શહેર અનુસુચિત મોર્ચાના હોદ્દેદારોની નીમણૂંક કરાઇ હતી. જેમાં.વિરમગામ શહેરના અનુસુચિત જાતિ મોર્ચાના પ્રમુખ તરીકે મનુભાઇ પરમાર, મહામંત્રી કીરીટભાઈ રાઠોડ ,ઉપપ્રમુખ તરીકે ઘર્મેશભાઇ શ્રીમાળી, જયદિપ સિંઘવ, હીતેશ પરમાર, હરીભાઈ પરમાર,અમૃત ચાવડા તેમજ મંત્રી તરીકે ગૌરાંગ ડોડીયા, બીપીન શ્રીમાળી, ચિંતન પરમાર,ભરત સાઘુ, દિનેશ વાઘેલા,ઉપરાંત કોર્ડીનેટર તરીકે ભાવેશ સોલંકી, અને કોષાઅઘ્યક્ષ સુરેશ ઝાલા ની નીમણૂંક કરાઇ હતી. આ બેઠક મા અમદાવાદ જિલ્લા અનુસુચિત મોર્ચાના મહામંત્રી મહેશભાઈ પરમાર, વિરમગામ વિઘાનસભા વિસ્તારક ખેંગારભાઇ ડોડીયા, વિરમગામ શહેર ભાજપ પ્રમુખ નરેશભાઈ શાહ, મહામંત્રી હર્ષદ ઠક્કર, મોતીસિંગ ઠાકોર સહિત વિરમગામ શહેર ભાજપ ના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.