એસ્પાયર કાર્યક્રમ અંતર્ગત SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી સરકારી યોજના જ્ઞાનપ્રતિ યોગ્યતા “જ્ઞાન સે વિકાસ કી ઓર” સરકારી યોજના શોધયાત્રા સૂત્ર દ્વારા દાહોદ જિલ્લાના દાહોદ, ગરબાડા અને ઝાલોદ તાલુકાની 20 ગ્રામ પંચાયતોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું.
0 થી 21 વય જૂથના બાળકો, કિશોરી-કિશોરોના આરોગ્ય, શિક્ષણ, રક્ષણ અને વિકાસને ટેકો આપવા અસંખ્ય યોજનાઓ છે. જેમાં સંકલિત બાળ વિકાસ સેવા, મધ્યાન ભોજન યોજના, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કૌશલ્ય ભારત, ડિજિટલ ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો જેવા મુખ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ પ્રયાસો છતા કિશોરોમાં સીધા લાભાર્થીઓમાં આ યોજનાઓ વિશે જાગૃતિ મર્યાદિત રહે છે જેના કારણે જરૂરતમંદ લોકો લાભ લેવાથી વંચિત રહી જાય છે. જેથી આ પ્રતિયોગિતા દ્વારા માહિતી સાથે કિશોરોને સશક્ત બનાવવાથી તેમના સમુદાયમાં સારો ઉપયોગ અને હિમાયત સુનિશ્ચિત કરવામાં મદદ મળી શકે છે. આને સંબોધવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના રૂપમાં એક અનોખી જાગૃતિ મૂલ્યાંકન પહેલનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રતિયોગિતાનો હેતુ કિશોરોના જ્ઞાનસ્તરનું મૂલ્યાંકન કરવાનો અને એક સાથે માળખાગત શિક્ષણ અને મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા તેમને સમજણ વધારવાનો છે.
આ પ્રતિયોગિતામાં શાળાના આચાર્ય અને શિક્ષક ગણ હાજર રહ્યા. આ પ્રતિયોગિતામાં આશરે 700 જેટલા 11 થી 18 વર્ષના કિશોર કિશોરીઓ હાજર રહ્યા.
– ઉદેશ્ય –
1. ગુજરાતના કિશોરો- યુવાનોને લક્ષ્ય બનાવતી સરકારી યોજનાઓ પ્રત્યે કિશોરોના જાગૃતિ સ્તર નું મૂલ્યાંકન કરવું
2. કિશોરોને તેમની વિકાસને લગતી નીતિઓ અને કાર્યક્રમ વિશે રસ અને જિજ્ઞાસા પેદા કરવી
3. કિશોરોને તેમના સમુદાયમાં પરિવર્તન અને માહિતી પ્રસારના રાજ દુત બનવા માટે સશક્ત બનાવવા.