Monday, April 21, 2025
Google search engine
HomeViramgam - વિરમગામ૩૯ વિરમગામ વિધાનસભા બેઠક માટે જન સત્યપથ પાર્ટીમાંથી માંડલના હાંસલપુરના દશરથસિંહ ઝાલાએ...

૩૯ વિરમગામ વિધાનસભા બેઠક માટે જન સત્યપથ પાર્ટીમાંથી માંડલના હાંસલપુરના દશરથસિંહ ઝાલાએ પોતાની ઉમેદવારી નોઘાવી

PIYUSH GAJJAR – VIRAMGAM
મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે અંગે ચોથા દિવસે પણ સસ્પેન્સ યથાવત. ૩૯ વિરમગામ વિધાનસભા બેઠકની ચુટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી, કોગ્રેસ સહિતના રાજકીય પક્ષો સહિત કેટલાક અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉત્સુક બન્યા છે. ૧૪ ડિસેમ્બરે બીજા તબકકાની ચૂંટણીમાં અમદાવાદ સહિત ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે કરવામાં આવનાર મતદાન માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ૩૯ વિરમગામ વિધાનસભા બેઠક માટે સેવા સદન વિરમગામ ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે અંગે ચોથા દિવસે પણ સસ્પેન્સ યથાવત છે.
ત્યારે હજુ વિરમગામ વિઘાનસભા બેઠક પર રાજકીય પક્ષો દ્રારા પોતાના ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા નથી
આજરોજ વિરમગામ વિઘાનસભા બેઠક પર જન સત્યપથ પાર્ટી પક્ષમાથી માંડલ તાલુકાના હાંસલપુર ગામના દશરથસિંહ હેમતસંગ ઝાલાએ પોતાની ઉમેદવારી નોંઘાવી છે. ત્યારે આવર્ષે વિરમગામ વિઘાનસભા બેઠક પર અન્ય પાર્ટી બાજી મારે તો નવાઇ નહી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments