

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના ઘોળકા ના ઉતેળીયા ગામમા છેલ્લા ઘણાં સમય થી પાણી સમસ્યા સર્જાઈ છે. ગુંદી ફાટક પાસે આવેલ નર્મદાની લાઇ તોડવા મજબુર બન્યા મુગા પશુધનને પીવાનું પાણી નથી મળતુ એટલ પાણીની લાઇન તોડવી પડી.
ગામમાં પીવાના પાણીના બે બોર હોવા છતા પાણી મળતું નથી નેમહીલાઓને પાણી માટે ૨ઝળપાટ કરવી પડે છે.
ગામની મહીલાઓને ગંદા પાણીના ખાડામાં નાહવા કપડા ધોવા મજબુર થવું પડ્યું. ઉચ્ચ કક્ષાના અધીકારીઓ કોઈ જવાબ નથી આપતા કે કોઈ સાભળતુ પણ નથી. ગામ લોકોનો રોષ ચરમસીમાએ પહોચતા સરપંચ સહીત ગામ લોકોએ નર્મદાની લાઇન તોડવા મજબુર બન્યાને પાણીની લાઇન તોડી નાખી.
હાલમાં લગ્નની સીઝન હોય ગામમાં અનેક જગ્યાએ લગ્ન પ્રસંગ હોય ને પાણીની ગંભીર સમસ્યા ઉભી થવા પામી
તેમને પણ અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવી છતા પાણીનો પાણીનો પ્રશ્ન હલ થતો નથી. ધોળકા તાલુકાના આવા અનેક ગામના લોકો પીવાના પાણી માટે ૨ઝળપાટ કરી રહ્યા છે.